Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

તલાટી કમ મંત્રીઓના સમર્થનમાં જામનગર જિલ્લાના સરપંચો ઉતરી આવ્‍યાઃ જિલ્લાના છ તાલુકાના ૪૦૦ થી વધુ ગામના સરપંચો સાથે મળી જિલ્લા પંચાયત ખાતે ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રીની ગેરહાજરી હોવાથી પડતી હાલાકીઓને લઇને રજુઆત

જામનગરઃ સમગ્ર ગુજરાત ની સાથે જામનગરમાં પણ તલાટી કમ મંત્રીઓ પોતાની પડતર માગણીને લઈને હડતાલ ઉપર ઉતર્યા છે ત્‍યારે તલાટી કમ મંત્રીઓના સમર્થનમાં જામનગર જિલ્લાના સરપંચો ઉતરી આવ્‍યા છે. હાલ તહેવારો નજીક છે ત્‍યારે જ જામનગર જિલ્લાના છ તાલુકાના કુલ ૪૦૦ થી વધુ ગામના સરપંચો સાથે મળી જિલ્લા પંચાયત ખાતે ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રીની ગેરહાજરી હોવાથી પડતી હાલાકીઓને લઈને એકત્ર થયા હતા અને તલાટી કમ મંત્રીઓની ત્રીજી વખતની આ લડતને પોતાનો ટેકો જાહેર કરી સરકારને માગણીઓ સ્‍વીકારવા માટે ડીડીઓ મારફત રજૂઆત પણ કરવામાં આવી છે.(અહેવાલઃ મુકુંદ બદિયાણી ,તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(11:08 am IST)