Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

ભાવનગર માં આજે જિલ્લામા ૩૫ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા:૪૦ દર્દીઓ કોરોનામુક્ત: ૨ દર્દીઓના અવસાન

જિલ્લામાં નોંધાયેલા ૧,૮૩૧ કેસો પૈકી ૪૪૧ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર :ભાવનગર જિલ્લામા આજરોજ ૩૫ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૧,૮૩૧ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૫ પુરૂષ અને ૯ સ્ત્રી મળી કુલ ૨૪ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાના ઉખારલા ગામ ખાતે ૧, મહુવા તાલુકાના તરેડ ગામ ખાતે ર, મહુવા ખાતે ૨, પાલીતાણા ખાતે ૨, પાલીતાણા તાલુકાના જમાણવાવ ગામ ખાતે ૧, સિહોર તાલુકાના પાલડી ગામ ખાતે ૧ તથા તળાજા ખાતે ૧ કેસ મળી કુલ ૧૧ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૨૮ અને તાલુકાઓના ૧૨ એમ કુલ ૪૦ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે તેમજ આજરોજ ભાવનગર ખાતે અને સિહોર તાલુકાના થોરડી ગામ ખાતે રહેતા કોરોના પોઝીટીવ દર્દીઓનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૧,૮૩૧ કેસ પૈકી હાલ ૪૪૧ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૧,૩૫૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૩૨ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(8:11 pm IST)