Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

મોરબી જીલ્લામાં રવિવારે કોરોનાના વધુ ૨૧ કેસ નોંધાયા : બે દર્દીના મોત : વધુ ૨૪ દર્દીઓ સ્વસ્થ થયા

મોરબી જીલ્લામાં રવિવારે કોરોનાના વધુ ૨૧ કેસો નોંધાયા છે જયારે ૨૪ દર્દીઓ સ્વસ્થ થયા છે અને બે દર્દીના મૃત્યુ થયા છે

 મોરબી જીલ્લાના નવા કેસોમાં વાંકાનેર અમરનાથ સોસાયટીના રહેવાસી ૨૬ વર્ષના પુરુષ, મોરબીના પંચાસર રોડ મહાવીર નગરમાં ૫૪ વર્ષના પુરુષ અને ૩૨ વર્ષના મહિલા, સબ જેલ નજીક રહેતા ૪૪ વર્ષના પુરુષ, વોરા બાગ પાવન પાર્કના રહેવાસી ૪૩ વર્ષના પુરુષ, ઘાંચી શેરીના રહેવાસી ૪૬ વર્ષના પુરુષ, પખાલી શેરીના ૫૦ વર્ષના પુરુષ, એવન્યુ પાર્કના ૬૧ વર્ષના પુરુષ, પંચાસર રોડના ૨૪ વર્ષના મહિલા, મુનનગર ચોકના ૫૫ વર્ષના પુરુષ, વાઘપરા ૬ માં રહેતા ૬૦ વર્ષ પુરુષ, પારેખ શેરીમાં રહેતા ૫૫ વર્ષના મહિલા, નાની વાવડીમાં ૨૫ વર્ષના પુરુષ, વાંકાનેરના કોટડાનાંયાણી ગામના ૪૩ વર્ષના પુરુષ, મોરબીની પારેખ શેરી ગૌરાંગ શેરીમાં ૫૦ વર્ષની મહીલા અને ૨૦ વર્ષના પુરુષ, રવાપર રોડ સહયોગ સોસાયટીના ૬૪ વર્ષના પુરુષ, લક્ષ્મીનગરમાં ૨૨ વર્ષના પુરુષ, ઋષભનગર 2 માં અઢી વર્ષના બાળક, વાઘપરાના રહેવાસી ૪૪ વર્ષ પુરુષ અને ૪૧ વર્ષીય મહિલાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે

જયારે રવિવારે વધુ ૨૪ દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે જયારે બે દર્દીના મોત થયા છે મોરબીના સામાકાંઠે રહેતા ૫૪ વર્ષના મહિલાનો રીપોર્ટ તા. ૦૬ ના રોજ પોઝીટીવ આવ્યો હતો જયારે પારેખ શેરીમાં રહેતા ૫૦ વર્ષના પુરુષનો તા. ૦૭ ના રોજ રિર્પોટ પોઝીટીવ આવ્યો હતો જે બંને દર્દીના મોત થયા છે વધુ ૨૧ કેસો સાથે કુલ કેસનો આંક ૪૯૨ થયો છે જેમાં ૧૪૫ એક્ટીવ કેસ, ૩૧૧ દર્દીઓ સ્વસ્થ થયા છે જયારે કુલ ૩૬ દર્દીના મૃત્યુ થયા છે

(7:34 pm IST)