Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

કોરોના ઈફેક્ટ : મોરબીમાં હોનારતના દિવસે મૌન રેલી કાર્યક્રમ મોકૂફ

મોરબી : કોરોના મહામારીને પગલે જાહેર કાર્યક્રમો યોજવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોય જેને પગલે મોરબીમાં દર વર્ષે જળ હોનારતની વરસીના દિવસે યોજાનાર મૌન રેલી કાર્યક્રમ મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે
           મોરબીમાં ૧૧ ઓગસ્ટ ૧૯૭૯ ના રોજ આવેલ જળ હોનારતના મૃતકોને દર વર્ષે મૌન રેલી યોજી પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાય છે જોકે હાલ કોરોના મહામારીને પગલે તા. ૧૧ ઓગસ્ટના રોજ નગરપાલિકા દ્વારા યોજાતી મૌન રેલી અને પુષ્પાંજલિ કાર્યક્રમ મોકૂફ રાખેલ છે અને મણીમંદિર ખાતેના સ્મૃતિ સ્તંભ પર જે કોઈ નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવી હોય તે નિયમોના પાલન સાથે બપોરે ૩ થી 4 સુધી જઈ શકશે તેમ નગરપાલિકાની યાદીમાં જણાવ્યું છે

(5:42 pm IST)