Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

ગોંડલ, કેશોદ, ઉના, તળાજા, લખતર, પાલીતાણામાં નવા ટી.ડી.ઓની નિમણૂંક

વીછીયા, ગઢડા, ધ્રોલ, ચોટીલા, ખંભાળીયાના તાલુકા વિકાસ અધિકારીની બદલી

રાજકોટ, તા.૯: રાજય સરકારના પંચાયત વિભાગે ગઇકાલે વિભાગના નાયબ સચિવ વનરાજસિંહ પઢારિયાની  સહીથી તાલુકા વિકાસ અધિકારી કક્ષાના ૩૦ અધિકારીઓની બદલીનો હુકમ કર્યા છે.

સિંહોરના એસ.જે.ચૌધરી નસવાડીછોટા ઉદેપુર), વીછીયાના એસ.એ.ચાવડા ધાનપુર (દાહોદ), ગિરગઢડાના અર્પણ ચાવડા કેશોદ, મેહમદાબાદ (ખેડા)ના એસ.પી.રાઠોડ ભૂજ ભૂજના એસ.બી.જાની પાલીતાણા, ધ્રોલના જે.જી ગોહિલ ગોંડલ, ચોટીલાના બીરેન પટેલ ચીપ્નીસ વિકાસ કમિશ્નર કચેરી, ખંભાડીયાના બુધ્ધા ભટ્ટ ઉનામાં તથા માળીયા હાટીનાના રજનીકાંત મણિયા ક્ષમરેજ (સુરત) ટી.ડી.એ.તરીકે મૂકાયા છે.

ઉપરાંત જુનાગઢ પ્રાદેશિક તાલીમ કેન્દ્રના એસ.બી.જાડેજા તળાજા, જામકંડોરણાના પ્રતીક પટેલ વિસનગર (મહેસાણા), વીરમગામના કાજલ આંબલિયા લખતર, બોટાદના સી.ડી.ભગ્યેશ લીમખેડા (દાહોદ) અને જાફરાબાદના બી.એમ.વાઘેલા, જેસર (ભાવનગર), ટી.ડી.ઓ તરીકે નિયુકત થયા છે.(૨૩.૬)

(10:20 am IST)