Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

ચોટીલાની પિયાવા પ્રાથમિક શાળાને ગ્રામજનો દ્વારા તાળાબંધી :શિક્ષક કનૈયાલાલની બદલી કરવા માંગ

શિક્ષકની બદલી ન થાય ત્યાં સુધી શિક્ષણનો બહિષ્કાર કર્યો

ચોટીલાની પિયાવા પ્રાથમિક શાળાને ગ્રામજનોએ તાળા બંધી કરી છે. અશોભનીય વર્તનની રાવને પગલે વિવાદાસ્પદ શિક્ષક કનૈયાલાલની બદલીની માંગ કરી છે.

  શિક્ષકની બદલી ન થાય ત્યાં સુધી શિક્ષણનો બહિષ્કાર કર્યો છે. અવાર નવાર ધ્યાન દોરવા છતાં તંત્રએ પગલાં નહીં લેતા ગ્રામજનો રોષે ભરાયા છે. ચોટીલા પિયાવા શાળા નંબર 2 ને તાળા મારી વિરોધ કર્યો છે. આચાર્યના ખોટા સહી સિક્કા સાથે બોગસ નોટિસ અંગે પોલીસ તપાસની રજુઆત કરવામાં આવી છે.

(10:14 pm IST)