Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

કુવાડવા રોડ પર બંધ આઇસર પાછળ ઇકો કાર ઘુસી જતા વિજય પ્રસાદનું મોત

કાર ચાલક માલીયાસણ પાસે આઇઓસી પ્લાન્ટ તરફ જતો હતો

રાજકોટ તા.૯: કુવાડવા રોડ પર સાત હનુમાન મંદિર પાસે રોડ સાઇડમાં પડેલ આઇસર પાછળ ઇકો કાર ઘુસી જતા નવાગામ શકિતનગરના બિહારી યુવાનનું મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ નવાગામ શકિતનગરમાં રહેતો વિજય શિવનાથભાઇ પ્રસાદ (ઉ.વ.૩૫) ગઇકાલે પોતાની જી.જે. ૩ કે.એચ. ૩૪૪૬ નંબરની ઇકો કાર લઇને પોતાની ઘરેથી માલીયાસણ પાસે આઇઓસી પ્લાન્ટ તરફ જતો હતો ત્યારે સાત હનુમાન મંદિર પાસે રોડ સાઇડમાં બંધ પડેલા આઇસર પાછળ ઇકો કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. અને કોઇએ જાણ કરતા ઇકો કાર ચાલકને ૧૦૮માં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો ત્યાં તેનું મોત નિપજયું હતું. આઇસર ચાલક કેશુભાઇ શામજીભાઇ કોળી (રહેે. સાત હનુમાન મંદિર પાસે ઢોરા પર) ને જીયાણા માલ ભરવા માટે જવાનું હોઇ તેથી તેણે પોતાનું આઇસર રોડીની સાઇડમાં પાર્ક કર્યું હતું. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે મૃતક ઇકોકાર ચાલક વિજય પ્રસાદ વિરૂઘ્ધ ગુનો દાખલ કરી હેડ કોન્સ. કે.સી. સોઢા તથા રાઇટર જયપાલસિંહે તપાસ હાથ ધરી છે.

(12:16 pm IST)