Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

ભાવનગર જિલ્લામાં સિંચાઇ વિભાગમાં અધિકારીઓની બદલી

ભાવનગર તા. ૮ : ભાવનગર જિલ્લાના સિહોર,પાલીતાણા અને ભાવનગર સિંચાઈ વિભાગના બદલીઓ થઈ છે જેમાં સિહોરના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી (ગ્રામ્ય વિકાસ)તાલુકા પંચાયત કચેરી ખાતે ફરજ બજાવતા પી.એ.પોપટની નાયબ ચીટનીશ વિકાસ શાખા જિલ્લા પંચાયત ભાવનગર ખાતે અબદલી કરાઈ છે તેઓને પટેલના સ્થાને મુકાયા છે.

જયારે પાલીતાણા તાલુકા પંચાયત કચેરીમાં સિનિયર કલાર્ક તરીકે ફરજ બજાવતા એમ.એલ.મોણકંઈ બઢતી સાથે બદલી કરાઈ છે તેઓને નાયબ ચીટનીશ તરીકે ગ્રામ્ય વિકાસ તાલુકા પંચાયત કચેરી ગારિયાધાર ખાતે પી,આર,ચુડાસમાને સ્થાને મુકયા છે. જયારે ભાવનગર સિંચાઈ વિભાગમાં સિનિયર કલાર્ક તરીકે ફરજ બજાવતા એલ,ડી ગઢવીને નાયબ ચીટનીશ તરીકે તાલુકા પંચાયત ઉમરાળામાં ડી.કે. ત્રિવેદીના સ્થાને મુકાયા છે.

(12:14 pm IST)