Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

વઢવાણ દેદાદરાથી વાડલા જવાના રસ્તાનું કુંવરજીભાઇ બાવળીયાની હસ્તે ખાતમુહૂર્ત

વઢવાણ - સુરેન્દ્રનગર : રાજયના પાણી પુરવઠા મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ગઈકાલે વઢવાણ તાલુકાના દેદાદરા ગામથી વાડલા તરફ જતા ૩.૮૦ કી.મી. લંબાઈના રસ્તાનું ખાતમુર્હુત કર્યું હતું. મંત્રીશ્રી બાવળીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારની આસપાસના બીજા ગામોને જોડતા પાકા રસ્તા બનાવવાનો સરકારનો અભિગમ છે અને સરકારશ્રીની મુખ્યમંત્રી સડક યોજના અન્વયે આ રસ્તો તૈયાર થવાથી બે ગામ વચ્ચેનું અંતર ઘટશે. રૂપિયા ૩૮૮.૮૫ લાખના પેકેજ અંતર્ગત તૈયાર થનાર આ રસ્તાનું ખાતમુર્હુત પ્રસંગે ગ્રામના અગ્રણીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

(9:46 am IST)