Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

મગફળી કૌભાંડમાં સંડોવાયેલા સામે રાષ્ટ્રદ્રોહનો ગુન્હો દાખલ કરવા પાટીદારોની માંગ

ભાયાવદરમાં હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનના ટેકામાં મળેલ પાટીદારોની મિટિંગમાં મગફળીકાંડ ગુંજ્યો :યોગ્ય તપાસની માંગ કરી

રાજકોટ:ઉપલેટાના ભાયાવદરમાં મગફળી કૌભાંડ મામલે પાટીદારોએ ઠરાવ કર્યો હતો આગામી તા.25 ઓગસ્ટના હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનના ટેકામાં મળેલ પાટીદારોની મિટિંગમાં મગફળી કાંડ ગુંજયો હતોપાસની મિટિંગમાં કરોડોના મગફળી કૌભાંડ મામલે યોગ્ય તપાસની માંગ કરતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો

   પાસ દ્વારા પસાર કરવામાં આવેલ ઠરાવમાં વિપક્ષના નેતાઓને સાથે રાખીને  ઉચ્ચસ્તરીય તપાસ કમિટી રચીને કૌભાંડની તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી  હતી અને

રાજ્યપાલને સંબોધીને લખેલા પત્રમાં મગફળી કૌભાંડમાં સંડોવાયેલા લોકો સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરવાની પાટીદારોએ કરી માંગ કરી હતી

(12:45 am IST)