Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

ટંકારા પ્રભુચરણ આશ્રમ ખાતે તાલુકા ભાજપની કારોબારી બેઠક યોજાઈ

તાલુકા ભાજપને પેજ સમિતિ બનાવવા પણ કામગીરી કરવા આદેશ: દરેક ગામ પ્રશ્નનું નિરાકરણ સામેથી લઈ આવશે તેવો પણ ખાતરી

ટંકારા તાલુકા ભાજપની કારોબારી બેઠક પ્રભુચરણ આશ્રમ ખાતે યોજવામાં આવી હતી જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા રાજકીય પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો તેના ભાગરૂપે તે તાલુકા ભાજપના કાર્યકર્તાઓએ આ કોરોનોની મહામારીમાં જે કાર્યકરોએ તન-મન-ધનથી કામ કર્યું છે તેને અભિનંદન પાઠવવામાં આવ્યા સાથે સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે જે ગુજરાતમાં કામગીરી કરી છે તે બદલ બંને સરકારોએ પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા

ઉપરાંત તાલુકા ભાજપને પેજ સમિતિ બનાવવા પણ કામગીરી કરવા આદેશ આપવામાં આવ્યા 2022 ના લક્ષ્યાંક પણ આદેશ આપવામાં આવ્યો અને તાલુકા ભાજપ અને જિલ્લા ભાજપ સાથે મળીને ટંકારા તાલુકાના દરેક ગામ પ્રશ્નનું નિરાકરણ સામેથી લઈ આવશે તેવો પણ ખાતરી આપવામાં આવી હતી
જેમાં તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપાએ આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લાના પ્રભારી ભાનુભાઈ મહેતા, તાલુકા ભાજપના પ્રમુખ કિરીટભાઈ અંદરપા, મહામંત્રી રૂપસિંહ ઝાલા અને ગણેશભાઈ નમેરા, એપીએમસીના ચેરમેન ભવનભાઈ ભાગ્યા, એપીએમસીના ડિરેક્ટર ધ્રુવકુમારસિંહ જાડેજા, અગ્રણી નથુભાઈ કડીવાર અને અશોકભાઈ ચાવડા તેમજ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હરેશભાઈ ઘોડાસરા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કેશુભાઇ રૈયાણી, પ્રભુભાઈ પનારા, પ્રવીણભાઈ લો, અગ્રણી પ્રભુભાઈ કામરીયા, તાલુકા પંચાયતના અધ્યક્ષ અરવિંદભાઈ દુબરીયા વગેરે આગેવાનો હાજર રહ્યા હતા

(11:13 pm IST)