Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

જામનગરના હર્ષદપુર રોડ ઉપર મેજર બ્રીજ બનાવવા રાઘવજીભાઇ પટેલની માંગણી

જામનગર તા.૯ : તાલુકાના હર્ષદપુર, મોખાણા, ખીમલીયા રોડ પર મેજર બ્રીજ બનાવવા તથા સરમત ગામથી સરમત પાટીયા સુધીના રસ્તાને ડામર પેચ વર્ક કરવાની નાયબ મુખ્યમંત્રીશ્રીને રજૂઆત ધારાસભ્યશ્રી રાઘવજીભાઇ પટેલે કરી છે.

આ રજૂઆતમાં જણાવેલ કે, તાલુકાના હર્ષદપુર, મોખાણા, ખીમલીયા રોડ પર ચેઇનેઝ કીમી ર થી ૩ વચ્ચે નાગમતી રોડ પર સીડી ૩-૧  કોઝવે આવેલ છે. આ કોઝવેના કારણે વાહન વ્યવહારમાં મુશ્કેલી પડે છે અને ચોમાસામાં વરસાદ હોય ત્યારે વાહન વ્યવહાર ખોરવાય જાય છે માટે આ કોઝવેની જગ્યાએ મેજર બ્રીજ બનાવવો જરૂરી હોય મેજર બ્રીજ બનાવવા માંગણી છે.તાલુકાના સરમત ગામથી સરમતના પાટીયા સુધીના રસ્તામાં ગાબડા પડી ગયેલ છે. જેના કારણે વાહન વ્યવહારમાં ખુબ જ મુશ્કેલી પડે છે. આ રસ્તા પર પડેલ ગાબડા પુરવા માટે પેચવર્ક કરવાની જરૂરિયાત હોવાથી આ રસ્તા પર પેચ વર્ક કરવા માટે નાયબ મુખ્યમંત્રીશ્રીને રજૂઆતમાં જણાવેલ છે.

(11:52 am IST)