Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા કોરોના ગાઇડ લાઇન મુજબ નીકળશે

આયોજકો સાથે પોલીસ અધિકારીઓની બેઠક યોજાઇ : આજે સાંજે કલેકટર સાથે મિટીંગ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૯ :  ભાવનગરમાં અષાઢી બીજની રથયાત્રા અંગે રથયાત્રાના આયોજક સાથે પોલીસ અધિકારીઓની બેઠક યોજાઇ હતી.

આગામી અષાઢી બીજની રથયાત્રાના અનુસંધાને તા. ૦૭-૦૭-૨૦૨૧ બુધવાર ના રોજ રથયાત્રા ના આયોજકો સાથે ભાવનગરના એ.એસ.પી. શ્રી સફિન હસન તથા પી આઇ શ્રી સોલંકી ,યાદવ વગેરે અધિકારીઓ સાથે, રથયાત્રા ના અધ્યક્ષ શ્રી હરુભાઈ ગોંડલીયા, મંત્રી શ્રી કરશનભાઈ વસાણી અને આગેવાનો સાથે બેઠક કરવામા આવી હતી.

આજે તારીખ ૯ ને શુક્રવારના સાંજે૫ વાગે કલેકટર કચેરી ખાતે રથયાત્રાના આયોજકો અને કલેકટર તથા અન્ય અધિકારીઓ સાથે રથયાત્રા દરમિયાન કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગેની બેઠક મળશે તેમ રથયાત્રા સમિતિના અધ્યક્ષ હરુભાઇ ગોંડલીયા એ જણાવ્યું હતું.

(11:15 am IST)