Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત : વધુ સાત કેસ પોઝીટીવ : કુલ કેસની સંખ્યા 122 થઇ

વેરાવળના બે મહિલા,તાલાલાનાં બોરવાવના પુરુષ,તાલાલાનાં ધાવાના એક મહિલા અને એક પુરુષ તાલાલાનાં ધુસીયાના પુરુષ તેમજ ઉના કોર્ટ વિસ્તારના આધેડનો રિપોર્ટ પોઝીટીવ

ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે આજે વધુ સાત કોરોના પોઝિટિવ કેશ આવેલ છે.જેમાં વેરાવળના ,આરબ ચોક ,મહીલા ( 35 વષઁ ) વેરાવળ આઈ.ડી.ચૌહાણ સુપર કોલોની મહિલા (ઉમર ૬૦ વર્ષ) તાલાલા ના બોરવાવ, પુરુષ ( 44 વષઁ )( સૂરત ના રહે)તાલાલાના ધાવ , પુરુષ  (47 વષઁ) ( જૂનાગઢ સારવાર મા હતા ) તાલાલાનાં  ધાવા , સ્ત્રી,  (20 વષઁ  )( જૂનાગઢ સારવાર મા હતા)તાલાલા ના ઘુસીયા ગીર  પુરૂષ (ઉમર ૪૦ વર્ષ)  અને ઉના કોટૅ વિસ્તાર પુરૂષ (ઉમર ૫૭ વર્ષ) નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે આ સાથે કુલ કેસની સંખ્યા 122 થઇ છે
 

(7:45 pm IST)