Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

સુરેન્દ્રનગરઃ ૪ દર્દીઓ કોરોના મુકત બન્યા

સુરેન્દ્રનગરઃસુરેન્દ્રનગર મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારીની યાદીમાં  જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગરના  ૬૪ વર્ષીય વર્ષાબેન મયુરભાઈ શાહ અને ૨૭  વર્ષીય અપૂર્વ ઘનશ્યામભાઈ કોડીયા તથા લખતર તાલુકાના નાના અંકવાડીયા ગામના ૯૦ વર્ષીય જેઠાભાઈ પટેલ તેમજ વઢવાણ તાલુકાના ખોડુ ગામના ૧૯ વર્ષીય સુરદેવભાઈ ગઢવીને ગત કોરોના  વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સુરેન્દ્રનગર સ્થિત કોવિડ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જે અન્વયે મહાત્મા ગાંધી કોવીડ હોસ્પિટલ - ખાતેસારવાર બાદ ચારેય દર્દીઓને તાવ, શરદી, ખાંસી જેવા કોઇ લક્ષણો ન જણાતા છેલ્લા બે દિવસમાં કોવિડ હોસ્પિટલ - સુરેન્દ્રનગરમાંથી રજા આપવામાં આવી છે.

(11:47 am IST)