Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

પગની સારવાર માટે હરદ્વાર ગયેલા ખંભાળીયાના વિપ્ર યુવકનુ હૃદયરોગના હુમલાથી મોત

ખંભાળીયા તા. ૯ : રામનાથ સોસાયટીમાં રહેતા ઔદિચ્ય બ્રાહ્મણ યુવાનને પગમાં દુઃખાવો થતા તેને ખંભાળિયા ત્યાંથી જામનગર, રાજકોટ તથા અમદાવાદ લઇ જવામાં આવ્યો હતો.

દીપક ડાયાલાલ રાવલ ઉ.૪પ વાળા આ યુવાનને અમદાવાદથી વધુ સારવાર માટે હરદ્વાર લઇ જવામાં આવેલા જયા તેની સારવાર કર્યા પછી તેમના પરિવારજનો તેને ટ્રેઇનમાં ખંભાળીયા લાવતા હતા ત્યારે વીરમગામ પાસે ઓચીંતા તેને હૃદયરોગનો હુમલો આવતા તે ટ્રેઇનમાંજ મૃત્યુ પામ્યો છે.

રીલાયંસ પાસેખાનગી કંપનીમાં કામ કરતા અત્યંત મિલનસાર સ્વભાવના આ વિપ્ર યુવાનને સંતાનમાં એક છ વર્ષની પુત્રી છે.

ટુંકી બીમારીમાં વિપ્ર યુવાનના મોતથી બ્રહ્મસમાજમાં ભારે શોકની લાગણી છવાઇ છે.

રેલ્વે પોલીસ દ્વારા કાર્યવાહી કરીને મૃતકની લાશને તેના પરિવારજનોને સોંપવામાં આવી હતી.

(3:38 pm IST)