Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

મોરબી અને ટંકારા પંથકમાં મેઘરાજાને મનાવવા રામધુન

મોરબીઃ ચોમાસાના ઋતુના પ્રારંભ છતાં મોરબી જીલ્લામાં મેઘરાજાએ હેત વરસાવ્યું નથી ત્યારે ગામડાઓમાં મેઘરાજાને મનાવવા માટે રામધુન કરવામાં આવી રહી છે જેમાં વાંકડા ગામે તથા ટંકારા તાલુકાના ઉમિયાનગર ગામમાં રામધુનના કાર્યક્રમ યોજાઈ રહયા છે.

ગયા વર્ષ ની જેમ આ વર્ષે વરસાદ ખેંચાતા મોરબીના વાંકડા ગામમાં વરુણ દેવને રીઝવવા માટે વાંકડા ગ્રામજનો દ્વારા રામ ધૂન યોજી વરસાદને વરસવા માટે આજીજી કરી રહ્યા છે જયારે ટંકારા તાલુકાના ઉમિયાનગરમાં ૭૨ કલાકથી અવિરત રામધુન કરી રહ્યા છે અને ગ્રામજનો વરુણદેવને હેત વરસાવવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.  તે તસ્વીર

(12:05 pm IST)