Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

આગ્રા-મુંબઇ-રત્નાગિરીમાં વિવિધ દુર્ઘટનાનાં મૃતકોના પરિવારને પૂ.મોરારીબાપુની સહાય

ભાવનગર, તા.૯: ઉત્તરપ્રદેશના આગ્રા નજીક એક બસ દુર્ઘટનામાં ૧૯થી વધુ લોકોના મોત થયા હતા. તેમજ તાજેતરમાં મુંબઈ મહાનગરમાં ભારે વરસાદને કારણે વિવિધ ઘટનાઓમાં ૩૦ વ્યકિતઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એ ઉપરાંત મહારાષ્ટ્રનાં રત્નાગિરી ખાતે એક ડેમ તૂટવાથી ૨૩ વ્યકિતઓના મોત થયા છે. આ તમામ દુર્ભાગી લોકોના પરિવારજનોને શ્રી. હનુમાનજીની સાંત્વના રૂપે પ્રત્યેક મૃતકના પરિવારજનોને રૂપિયા પાંચ-પાંચ હજારની સહાય મોરારિબાપુએ કરી છે. આમ રૂપિયા ૩લાખ સાંઈઠ હજાર જેટલી રાશિની સહાય મોકલાવેલ છે.

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે ગત થોડા દિવસો પૂર્વે રાજસ્થાનના બાડમેર નજીકના એક ગામે કથાનો મંડપ તૂટી પડ્યો હતો અને તેમાં ૧૪ વ્યકિતઓએ જીવ ગુમાવ્યા હતા તે મૃતકોના પરિવારજનોને પણ મોરારિબાપુ સહાયભૂત થયા હતા. આવી અકસ્માતની વિવિધ ઘટનાઓમાં મોરારિબાપુની સંવેદના મૃતકો સાથે અને તેમના પરિવાર સાથે જોડાયેલી રહે છે.

(11:58 am IST)