Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

જસદણના કમળાપુર ભંડારીયા રોડના નબળા કામની તપાસ કરવા માગણી

નિગમના ચેરમેન ડો. બોધરાની મુખ્યમંત્રીને રજૂઆત

જસદણ તા. ૯, જસદણના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી તેમજ સરદાર પટેલ સહભાગી જળસંચય યોજના ના ચેરમેન ડો. ભરતભાઈ કે બોધરાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી અને માર્ગ-મકાન મંત્રી નીતીનભાઇ પટેલ સહિતનાને કરીલી લેખિત રજુઆતમાં જણાવ્યા મુજબ જસદણ તાલુકાનો કમળાપુર ભાડલા ભંડારીયા ભૂપગઢ રોડ રૂપિયા ૨૨ કરોડના ખર્ચે મંજુર થયા બાદ તાજેતરમાં છેલ્લા આઠ મહિનાથી રોડનું કામ ગોકળગાયની ગતિએ ચાલે છે યોગ્ય ડાઈવર્ઝન કર્યા નહીં હોવાથી ચોમાસા લોકોને પારાવાર મુશ્કેલી પડે છે. આ રસ્તો આ વિસ્તારના આસપાસના ૪૦ ગામડાંઓને ઉપયોગી રસ્તો છે. આ રોડના કામમાં નિયમ પ્રમાણે ખોદાણ, મેટલિક, રોલિંગ થતું નથી તેમજઙ્ગ ગુણવત્ત્।ાવાળો કાચો માલ વપરાતો નથી. આ રોડ ઉપર આવતા નાલાં પુલિયાઙ્ગ યોગ્ય રીતે બન્યા નથી. રોડનું કામ ખૂબ જ હલકી ગુણવત્ત્।ાવાળું હોવાથી કવોલિટી કન્ટ્રોલ , વિજીલન્સ તપાસની લેખિત માગણી કરતા ડો. બોધરાએ જણાવ્યું હતું કે જસદણ વીંછીયા વિસ્તારમાંઙ્ગ હલકી ગુણવત્ત્।ા વાળુ કામ કોઈપણ સંજોગોમાં ચલાવવામાં આવશે નહીં. કમળાપુર ભુપગઢ રોડનું નબળું કામ કરનાર એજન્સીની સામે કડક પગલાં લઇ તેને બ્લેકલિસ્ટ માં મૂકી આ પ્રકરણમાં સંડોવાયેલા અધિકારીઓ સામે પણ તપાસ કરવાનું અંતમાં ડો. ભરતભાઇ બોદ્યરાએ જણાવ્યું હતું. આ રોડના કામમાં ચાલતી ગેરરીતી સહિતની અનેક ચોંકાવનારી બાબતો અંગે જુદા જુદા આધાર પુરાવા સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

(11:55 am IST)