Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

ગીર ગઢડામા મેઘરાજાને મનાવવા વેપારીઓની પદયાત્રા

ઉના : ગીર ગઢડા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ મુકેશભાઇ ગાંધી, યુવક મંડળના પ્રમુખ રાજુભાઇ પટેલ, સરપંચ કરશનભાઇ ભાલીયા, બાલુભાઇ હીરપરા તથા ગામનાં વેપારીઓ આગેવાનો મોટી સંખ્યામાં દુકાનો બંધ રાખી દરવરસની પરંપરા મુજબ ગીરગઢડા થી ૭ કિ. મી. દુર દડદડેશ્વર મહાદેવના મંદિરે પદયાત્રા કરી પહોંચ્યા હતાં ભગવાન શિવશંકરને પુજા-અર્ચના-આરતી કરી. મેઘરાજા મનમુકીને વરસે નદી-નાળા છલકાય જાય ડેમો છલકાય જાય તેવી કૃપા દ્રષ્ટી કરવા પ્રાર્થના કરી હતી. પદયાત્રમાં જોડાયેલા વેપારીઓની તસ્વીર.

(11:50 am IST)