Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

હાય... રે... અંધશ્રધ્ધાઃ તળાજાનાં દિહોરમાં ૪ વર્ષના બાળકને સર્પદંશ થતા હોસ્પિટલના બદલે ભુવા પાસે લઇ જવાતા મોત

ભાવનગર, તા.૯: તળાજાના દિહોર ગામે દેવીપૂજક પરિવારની પોતાના કુબામાં રમતા ચાર વર્ષના દીકરાને કાળોતરો કરડી જતા બાળકને હોસ્પિટલમાં તાતકિલક લાવવાના બદલે ભુવા પાસે પહેલા લઈ જવામાં આવેલ. ત્યારબાદ હોસ્પિટલએ લાવતા બાળક મોતને શરણ થયેલ હતો.

હજુ પણ કેટલીક બાબતે અંધશ્રધ્ધા ખાસ કરીને અક્ષીશીત લોકોમાં જોવા મળે છે. આજે દિહોર ગામના મુનભાઈ પરમારના દીકરા રોનક ઉ.વ.૪ ઘરમાં રમતો હતો. એ સમયે ઝેરીલો નાગ કરડી ગયાનું ધ્યાને આવતા હોસ્પિટલમાં સારવાર માટે લાવવાના બદલે ભુવા પાસે લઈ જવામાં આવ્યો હતો. તે દરમિયાન હાલત વધુ ખરાબ થતા તળાજા રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ જયાં ફરજ પરના ડોકટરએ મૃત્યુ પામેલ જાહેર કરેલ હતો.

(10:27 am IST)