Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

જામનગરમાં સતવારા યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ફાંસો ખાઇને આપઘાત કર્યો

સતવારા સમાજે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દેતા હોસ્પિટલ પરિસરની સ્થિતિ તંગ

જામનગરમાં સતવારા યુવાન દિપેશ નકુમે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ફાંસો ખાઇને આપઘાત કરી લેતા ચકચાર મચી છે.

  બીજી તરફ સુસાઈડ નોટ હોવા છતાં પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી. જેથી સતવારા સમાજે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દેતા હોસ્પિટલ પરિસરની સ્થિતિ તંગ બની હતી.

   મૃતક દીપેશ નકુમ એક હોટલમાં મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરતો હતો. મજૂરી કરી ત્રણ નાના બાળકો અને પત્નીનું પેટ ભરતો હતો પરંતુ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને તેને આપઘાત કરતી હવે તેના પરિવારની સ્થિતી દયનિય બની છે.

  આ ઘટનાની તપાસમાં મૃતકે જીનેદ પાસેથી રૂપિયા ત્રીસ હજાર અને રેહાન પાસેથી રૂપિયા ૩૭ હજાર વ્યાજે લીધા હતા. જેથી આ શખ્સો ઘરે આવી મારી ધમકાવતા હોવાનો પણ આક્ષેપ લગાવ્યો છે.

(9:54 am IST)