Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

ગોંડલના પક્ષીપ્રેમીએ માટલામાં માળો બનાવ્યો

 સ્નેહીઓના નિધન બાદ પરિવારજનો અનેક રીતે તેઓની યાદમાં દાન પુણ્ય ના કામો કરતા હોય છે ગોંડલ ના ગાયત્રીનગર માં રહેતા અને ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલ વિનુભાઈ રાદડિયા ના માતા સમુબેન નું નિધન થતા પરિવાર દ્વારા ભારતીય સંસ્કૃતિ મુજબ ધાર્મિક વિધિ કરવામાં આવી હતી આ વિધિ પુરી થાયા બાદ લોકો દ્વારા ૧૦ માટલીઓને રસ્તા ઉપર રેઢી રઝળતી મૂકી દેવામાં આવતી હોય છે વિનુભાઈ એ તેમ કરવાને બદલે આ માટલીઓ ને ઘરે લાવી જાત મહેનત થી ચકલી ઘર બનાવી વાડી ખેતર સહીત જુદી જુદી જગ્યા એ રાખી પ્રકૃતિ અને પક્ષી પ્રત્યેનો પ્રેમ દેખાડયો હતો. તે પ્રસંગની તસ્વીર.

(12:26 pm IST)