Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

જેતપુરના નવાગઢ રેલ્વે સ્ટેશન પાસેના બિસ્માર માર્ગ રીપેર કરવા કામગીરી

 નવાગઢ : રેલ્વે સ્ટેશનને જોડતી બિસ્માર રસ્તા અંગે વેપારી મહાજન તથા કારખાનેદાર એશો.ની મંત્રી જયેશભાઇ રાદડીયાને રજૂઆત બાદ આ રસ્તો નવો બનાવવાના કામનો પ્રારંભ થયો છે. ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ રવિભાઇ આંબલીયા, કાર્યકારી પ્રમુખ વી.ડી.પટેલ તથા ડાઇંગ એશો.ના પ્રમુખ રાજુભાઇ પટેલ સહિતનાએ અનેકો પ્રયાસ કર્યા છતા હજુ લાંબા રૂટની ટ્રેન નવાગઢને બાયપાસ કરી રહી છે. ત્યારે હાઇવે થી સ્ટેશનને પહોચતી સડકની બદતર હાલત મુદ્દે ભાજપના રાજુભાઇ પટેલ તથા ચેમ્બર ના કાર્યકારી પ્રમુખ વી.ડી.પટેલની રજૂઆતો બાદ સફળતા મળી છે. (તસ્વીર - અહેવાલ : નિતીન વસાણી, નવાગઢ)(૪૫.૨)

(12:18 pm IST)