Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

ચલાલા ગાયત્રી પરિવાર દ્વારા કપડાનું વિતરણ

ચલાલા : શ્રી યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત શિવ બાલાશ્રમમાં રહેતા મા-બાપ વિહોણા ૧૯ અનાથ બાળકોને સાવરકુંડલાના સુતર દોરડાના વેપારી મે.હરજીવનદાસ સવજીભાઇ પેઢીના શાંતિબાપા તેમના ભાઇ દિલીપભાઇ તથા મહેશભાઇ દ્વારા તમામ બાળકોને જીન્સ, ટીશર્ટ ર-ર જોડી લઇ આપેલ તથા વૃધ્ધોને કપડા સિવડાવી આપેલ અને સાથે સાથે પોતાના ઘેર તમામ બાળકો અને બધા વૃધ્ધોને ભોજન કરાવ્યુ હતુ. સંસ્થા વતી શ્રી રતિદાદાએ શાંતિબાપાનો આભાર વ્યકત કર્યો હતો.

(12:17 pm IST)