Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

વિજશોકે રગતિયા દાદા મંદિરના પુજારી ચિંતનગીરીનો લીધો 'જીવ'

કોડીનારના પેઢાવાડા ગામે બનાવઃ મેઘનાથી પરિવાર, ભાવિકોમાં ઘેરોશોક

કોડીનાર, તા. ૯ :. તાલુકાના પેઢાવાડા ગામે રગતિયા દાદાના મંદિરના પુજારીનું વિજશોર્ટથી પ્રાણપંખેરૂ ઉડી જતા પરિવારજનો અને ભાવિકોમાં શોક પ્રસર્યો છે.

વિગત મુજબ પેઢાવાડા ગામે સુપ્રસિદ્ધ શ્રી રગતિયા દાદાના મંદિરે સેવા પૂજા કરતા અને અંબુજા સિમેન્ટમાં ફરજ બજાવતા ચિંતનગીરી મેઘનાથી અને રોહીતભાઈ સોલંકી બાયપાસ પાસે દુકાનનું ઈલેકટ્રીક કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક શોર્ટ લાગતા ગંભીર હાલતમાં કોડીનારની રા.ના. વાળા હોસ્પીટલે ખસેડાયા હતા પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આજે સવારે પી.એમ. માટે ખસેડાયા હતા.

અકસ્માતે જીવ ગુમાવનાર ચિંતનગીરીને એક ૩ વર્ષનો દીકરો છે. લાઈટનું નાનુ-મોટુ કામ કરતા હોવાથી ગામમાં સારી લોકચાહના હતી. ઘટનાની જાણ થતા જ મોટી સંખ્યામાં લોકો  સરકારી હોસ્પીટલે  દોડી ગયા હતા.(૨-૧૨)

(12:11 pm IST)