Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

ધોરાજી ખાતે ૬૯મા વન મહોત્સવ નિમીતે રોપાઓનું વિતરણ

ધોરાજીઃ ગેલેકસી ચોક ખાતે વન વિભાગ દ્વારા ૬૯માં વન મહોત્સવ નિમીતે નાગરીકોને ઝાડના રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરાયુ હતું. નાગરીકોને વૃક્ષોથી થતા ફાયદા વિશે આર.એફ.ઓ. જે. આર. જાકાસણીયાએ માર્ગદર્શન આપેલ હતું. ગઇકાલે નાગરીકોને અને વિદ્યાર્થીઓને પણ રોપા આપી વૃક્ષો ઉછેરવા જણાવેલ હતું. આ ત તકે સરકારી હોસ્પિટલના સેવાભાવી ડો. રાજ બેરા, આરએફઓ જે.આર. જાકાસણીયા ફોરેસ્ટર એલ. એચ. ઓડેદરા કર્મચારીઓ વનભાઇ અને કાનાભાઇ સહીતના આ કામગીરીમાં જોડાયા અને નાગરીકોએ વનવિભાગની સેવાઓને બિરદાવી હતી તે પ્રસંગની તસ્વીર. (૧૧.પ)

(10:26 am IST)