Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

મોરબીમાં સિગારેટ પીતી વખતે દાઝી ગયેલા પ્રોૈઢ અહેમદભાઇ ચોૈહાણનું મોત

રાજકોટ તા. ૯: મોરબીમાં રહેતાં મુસ્લિમ પ્રોૈઢ દસેક દિવસ પહેલા સિગારેટ પીતી વખતે દાઝી જતાં રાજકોટ સારવાર માટે ખસેડાયા હતાં. અહિ આજે સવારે તેમનું મોત નિપજ્યું છે.

મોરબી રહેતાં અહેમદભાઇ અબ્દુલભાઇ ચોૈહાણ (ઉ.૫૭) દસેક દિવસ પહેલા સિગારેટ પીતા હતાં ત્યારે તણખો કપડા પર પડતાં દાઝી જતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ વહેલી સવારે મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે મોરબી પોલીસને જાણ કરતાં હેડકોન્સ. ગોરધનભાઇ કાર્યવાહી માટે રાજકોટ આવ્યા હતાં. મૃતકના સગા હળવદ રહે છે, મૃતક મોરબીમાં એકલા રહેતાં હતાં. અગાઉ પ્રાથમિક કાર્યવાહી એએસઆઇ આર. બી. વ્યાસે કરી હતી. (૧૪.૧૦)

 

 

(12:49 pm IST)