Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

કરણી સેના ગીર-સોમનાથ દ્વારા યુવાનો સામેના કેસો પરત ખેંચવા માંગ

પ્રભાસપાટણઃ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ગીર-સોમનાથ જિલ્લા દ્વારા પદ્માવતી ફિલ્મ વિરોધ સમયે સમાજના જે યુવાનો ઉપર કેસ થયેલા તે કેસ પાછા ખેંચવા માટે ગીર સોમનાથ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવેલ. આ આવેદનમાં સંગઠન મહાસચિવ ગુજરાત કનકસિંહ જાદવ, ગીર-સોમનાથ જીલ્લા અધ્યક્ષ વિજયસિંહ જાદવ, ઉપાધ્યક્ષ જયસિંહ ચાવડા, મહાસચિવ ગીર સોમનાથ ધર્મેશસિંહ બારડ, વેરાવળ તાલુકા મહાસચિવ વિપુલસિંહ ચૌહાણ, મહાસચિવ ગ્રામ્ય અક્ષયસિંહ વાળા, ગ્રામ્ય સોશ્યલ મીડીયાના ભદ્રસિંહ ડોડીયા, મંત્રી મહેશ ડોડીયા સહિતના લોકો હાજર રહેલ તે પ્રસંગની તસ્વીર (તસ્વીરઃ દેવાભાઈ રાઠોડ-પ્રભાસપાટણ)

(11:43 am IST)