Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

કાલાવડ તાલુકા શહેર કોંગ્રેસ સમીતી દ્વારા ખેડુતોના પ્રશ્ને આવેદન પત્ર અપાયું

કાલાવડ તા ૯ : ગુજરાત કોંગ્રેસ સમીતીના આદેશ અનુસાર કાલાવડ શહેર તાલુકા કોંગ્રેસ સમીતી દ્વારા ખેડુત વિરોધી ભાજપ સરકાર સામે ધરણા યોજીને ખેડુતોના વિવિધ પ્રશ્નો જેવા કે ખેડુતની કિંમતી જમીન સંપાદન કરી ને યોગ્ય વળતર ન આપવા નો પ્રશ્ન તથા નવી ખેતી માપણી ને રદ કરી પ્રમોગેશન રદ કરીને જુની માપણી ચાલુ રાખવા તેમજ બીયારણ દવા તથા ખાતર ના વધતા જતા ભાવોને અંકુશમાં રાખવા તેમજ ખેડુતને ૮ કલાક ને બદલે દર કલાકે વિજળી મળે તેમજ નર્મદા કેનાલનું બે વર્ષથી બંધ રહેલ કામકાજ પૂર્ણ કરવા આવેદન પત્ર મા પાઠવ્યું હતું

આ પ્રસંગે જામનગર કોંગ્રેસ જીલ્લા પ્રમુખશ્રી તથા કાલાવડ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તથા કાલાવડ શહેર કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં કોંગ્રેસી કાર્યકરો એ ધરણા યોજી સુત્રોચાર પોકારી મામલતદાર કાલાવડને આવેદન પત્ર પાઠવેલ હતું

(11:40 am IST)