Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

સોમનાથ રામમંદિરે કેરીનો મનોરથ : વાલ્મીકી રામાયણનો વિરામ

પ્રભાસપાટણ : શ્રી સોમનાથ ટ્રસ્ટ નવનીર્મીત રામમંદિર ખાતે કેરીનો મનોરથ કરાયો હતો. જેના દર્શન આરતીનો લાભ લઇ દર્શનાથીઓએ ધન્યતા અનુભવી હતી. શ્રી રામમંદિર ખાતે વકતા વિનોદભાઇ પંડયાના વ્યાસાસને વાલ્મીકી રામાયણ કથાની પુર્ણાહુતી થઇ હતી.શ્રી સોમનાથ ટ્રસ્ટ નવનીર્મીત રામમંદિર ખાતે યોજાયેલ વાલ્મીકી રામાયણ કથામાં વકતા શ્રી વિનોદભાઇ પંડયાએ વાલ્મીકી રામાયણનું રસપાન કરાવેલ. પુર્ણાહુતી બાદ શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમાર દ્વારા કથાકાર વિનોદભાઇ પંડયાનું શાલ ઓઢાડી સન્માન કરાયુ હતુ. શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ, કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

(11:38 am IST)