Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

જામનગર ડીવાય એસપી સૈયદની શ્રમીકો માટે આશીર્વાદરૂપ સેવા

જામનગર, તા., ૯: જામનગરના ડીવાયએસપી સૈયદ દ્વારા કોરોના વાઇરસની મહામારીથી પીડીત ગરીબ પરીવારોને અનાજ-રાશનકીટ આપી ગરીબોના આશીર્વાદ મેળવવાનું પ્રેરણારૂપ કાર્ય કરેલ છે.

કીટ વિતરણ સમયે ડીવાયએસપી સૈયદે શ્રમીકોને 'દેશ જીતશે, કોરોના હારશે'નું સુત્ર આપી શ્રમીકોને ચિંતા મુકત રહી જિલ્લા પોલીસને સહકાર આપવાની અપીલ કરી છે. આ કીટમાં ૧૦ કિલો લોટ, પાંચ કિલો ચોખા, ૧ કિલો તુવેરદાળ, પ૦૦ ગ્રામ મગદાળ, ૧ કિલો મીઠુ, ર કિલો ખાંડ ઉપરાંત પ કિલો બટેટા, ર કિલો ડુંગળી, ર કિલો તેલ વિગેરેનો સમાવેશ કરાયો હતો.

(3:43 pm IST)