Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

શાપર પીએસઆઇના નાનીમાંનું નિધન થયું પરંતુ ફરજ ના છોડી

ગોંડલ,તા.૯:માનીમાં એટલે નાનીમાં, માથી પણ વધારે પ્રેમ અને લાગણી એટલે નાનીમાં આવા નાનીમાં નું નિધન થાયતો દોહિત્રના દુઃખની વ્યાખ્યાના થઇ શકે પરંતુ ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ઉપર શાપર વેરાવળ ઔધોગિક વસાહત પોલીસ ચોકીના પીએસઆઇ એન વી હરિયાણીના નાનીમાં દેવકુંવરબા ગોવિંદરામજી દૂધરેજીયા, ઉ.વ.૧૦૨ (રામગઢ વાળા), રહે. ભુંડણી ગામ (રામગઢ), તા. ખાંભા, જી. અમરેલી વાળા નું નિધન થતા તેઓ દુઃખી થાય હતા પરંતુ હાલ દેશપર કોરોના મહામારી આવી પડી હોય જીવથી પણ વ્હાલા નાનીમાંની સમાધીવિધીમાં કાળજા પર પથ્થર મૂકી જવાનુંટાળી ફરજ નિષ્ઠા દાખવી હતી.

પીએસઆઇ હરીયાણી એ જણાવ્યું હતું કે બે દિવસ પહેલાં જ નાનીમા સાથે મોબાઇલ ફોન પર વાત થઇ હતી અને કહ્યું હતું કે આ કપરા સમયમાં તારું અને તારા પરિવારનું ધ્યાન રાખજે આથી વિશેષ કશું બોલી શકયા ન હતા.

 તેઓના એકેએક શબ્દ મનમગજમાં ઘૂમી રહ્યા છે તેઓના આશીર્વાદથી જ સમાધી વિધિમાં જવા કરતા મારી ફરજ નિષ્ઠાને પ્રાથમિકતા આપી રહ્યો છું.

(11:42 am IST)