Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

વાંકાનેરમાં સેનીટાઇઝની કામગીરી પૂરજોશમાં

વાંકાનેર, તા. ૯ : પાલિકા દ્વારા શહેરના મેઇન બજાર, ગ્રીન ચોક સહિતના વિસ્તારોમાં ફાયર ફાઇટર દ્વારા સેનીટાઇઝ (દવાનો છંટકાવ) કરાયો હતો. કોરોનાના અટકાવ માટે તંત્રો દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી સરાહનીય કામગીરી થઇ રહી છે અને એ અગમચેતી સભરની કાર્યપ્રણાલીને કારણે વાંકાનેરમાં અત્યાર સુધીમાં એક પણ પોઝીટીવ કેસ નોંધાયો નથી.

આ પૂર્વે પાલિકા દ્વારા રોડ રસ્તાઓની સાઇડોમાં ડીડીટી છંટકાવ પણ સતત કરાયો હતો.

(11:36 am IST)