Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

સારંગપૂરઃ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતીના અન્નકોટના દર્શન

જગ વિખ્યાત સૌરાટ્રનું પ્રશિદ્ઘ સ્થળ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર સારંગપૂર ખાતે શ્રી હનુમાન જયંતીના પાવન પર્વે દાદાના નિજ મંદિરમાં બપોરે ૧૨ કલાકે અન્નકોટ ધરેલ જે અન્નકોટના દિવ્ય દર્શન તેમજ સવારની આરતિના દર્શન સાદાઇથી સંતો દ્વારા દાદાનું પૂજન અર્ચનવિધિ કરવામાં આવેલ. કોરોનો જેવા મહામારીના રોગથી સંકટ કાપવા દાદાને પ્રાર્થના કરેલ. તેમજ મારુતિ સ્ત્રોતમ પાઠ સંતો એ કરેલ હતા સામુહિક કોઈપણ કાર્યક્રમ રાખેલ નહોતા હજારો ભાવિકોએ યુટ્યૂબના માધ્યમથી દાદાના લાઈવ દર્શન આરતીના દર્શન પૂજા વગેરે જોવેલ છે. (તસ્વીરઃ હિતેશ રાચ્છ. વાંકાનેર ડી કે સ્વામી સાણગપુર મંદિર)

(11:22 am IST)