Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

વેરાવળના નાવદ્રા ગામે વનરાજનો ત્રાસ, એક ગાયનું મારણ, એકને ઇજા કરી

પ્રભાસપાટણ તા ૯ :  વેરાવળ તાલુકાના નાવદ્રા ગામની બાજુમાં આવેલ પાસાભાઇ ભાયાભાઇ વાજાની વાડીએ એક દુજણી ગાયને રાત્રીના સમયે એક સિંહ દ્વારા શિકાર કરેલ હતો, અને બાજુની વાડીમાં રાજાભાઇ ચનાભાઇ વાજાની ગાયને ઇજા પહોંચાડેલ.

આ બંને જે બનાવો બનેલ છે તે ગામની બાજુની વાડીઓ છે અને ત્યાં આ સિંહના શિકાર માટે આટાફેરા અને દુજણી ગાયનો શિકાર થતા આ ખેડુત પરીવાર અને આજુ-બાજુના વિસ્તારનાં ખેડુતોમાં ભયની લાગણી ફેલાયેલ છે, જોકે આ વિસ્તારમાં ઘણા સમયથી જંગલી જનાવરોના આંટાફેરા વધી રહેલ છે, જેના કારણે વાડી વિસ્તારમાં હેતાં ખેડુતોમાં સતત ભય વધી રહેલ છે, અને રાત્રીના તેના ખેતરોમાં  પીયત પણ  જીવના જોખમે કરે છે તો આ વિસ્તારમાં પાંજરા ગોઠવી અને આ સિંહને પાંજરે પૂરે તેવી ખેડુતોમાં માંગણી ઉઠવા પામેલ છે.

તસ્વીરમાં સિંહ દ્વારા ગાયનું મારણ કરેલ છે તે નજરેપડે છે, જયારે બીજી તસ્વીરમાં સિંહનો પંજો પડેલ છે તે નજરે પડે છે.(તસ્વીર દેવાભાઇ રાઠોડ (પ્રભાસપાટણ)

(11:55 am IST)