Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

ધોરાજી મહાકાલેશ્વર મંદિરે છાશ વિતરણનો પ્રારંભ :

ધોરાજી : ફરેણી રોડ મહાકાલેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રી રામચરિતમાનસ સુંદરકાંડ ધુન મંડળ દ્વારા વિનામુલ્યે છાશ કેન્દ્રનો ત્રણ મહિના માટે પ્રારંભ કરાયો હતો. મંડળ દ્વારા દર મહિનાની બીજ ઉપર ૬૦૦ થી વધુ બાળકોને વિનામુલ્યે ભોજન તેમજ ઘરે જઇ સુંદરકાંડના પાઠ ભજન સંધ્યા સંગીત સંધ્યા સહિતના કાર્યક્રમો તેમજ ગરીબ અને નિરાધાર વ્યકિતઓને પોતાના ઘરે બેઠા ભોજનનુ ટીફીન મળી જાય તે પ્રકારની વ્યવસ્થાની સેવા સાથે આજથી ૩ મહિના સુધી ૧૧૧ પરિવારને વિનામુલ્યે છાશ વિતરણ કરવાનો પ્રારંભ શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિરના પ્રમુખ વાલજીભાઇ બાપા માલકીયા શ્રી રામચરિતમાનસનું મંડળના પ્રમુખ ભીખાભાઇ ચાવડા, અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઇ રાઠોડ ધુન મંડળના કિશોરભાઇ પારેખ, રાજુભાઇ બાટવીયા વગેરે અગ્રણીઓના હસ્તે છાશ કેન્દ્રનો પ્રારંભ કરાયો હતો તે તસ્વીર.

(11:52 am IST)