Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

વાંકાનેર રેલ્વે સ્ટેશનમાં ટ્રેનમાં કોઇએ ધક્કો મારતા સંતોષભાઇ રાજભરને ઇજા

રાજકોટ તા ૯ :  વાંકાનેર રેલ્વે સ્ટેશનમાં ટ્રેનમાં કોઇએ ધક્કો મારતા યુવાન ટ્રેનમાંથી પડી જતા ઇજા થતા તેને સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.

મળતી વિગત મુજબ વાંકાનેરના ઢુવા ગામમાં રહેતા સંતોષભાઇ ભગવાનદાસભાઇ રાજભર (ઉ.વ.૩૫) ગઇકાલે વાંકાનેર રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાં હતા, ત્યારે કોઇએ ધક્કો મારતા ટ્રેનમાંથી પડી જતા તેને પગમાં ઇજા થતા સારવાર માટે રાજકોટની સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે હોસ્પિટલ ચોકીના એ.એસ.આઇ. જગુભાએ પ્રાથમીક કાગળો કરી વાંકાનેર મોકલવા તજવીજ હાથ ધરી છે.

(11:48 am IST)