Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

સરસ્વતી વિદ્યા મંદિર નાના પાળિયાદનો સાતમો વાર્ષિક મહોત્સવ હર્ષભેર સંપન્ન

બોટાદ તા ૯ :  નાના પાળિયાદ ખાતે આવેલ શ્રી સરસ્વતી વિદ્યા મંદિરનો સાતમો વાર્ષિક મહોત્સવ તાજેતરમાં  ભવ્યરીતે યોજાઇ ગયો.

આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે રાજયના કેબીનેટ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાળવળિયા  પધારેલ. અતિથી વિશેષ તરીકે બોટાદના સાહિત્યકાર અને કટાર લેખક શ્રી રત્નાકર નાંગર, પૂર્વ ધારાસભ્યશ્રી હીરાભાઇ સોલંકી, જીવનશાળાના શ્રી ખોડાભાઇ ખસિયા, ધજાળાના શ્રી રાવતભાઇ બડમલિયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી રમેહભાઇ મેર, સરપંચશ્રી હનુભાઇ મેણિયા, તથા રાજયના શ્રેષ્ઠ શિક્ષકો એવા શ્રી જી.બી. મકવાણા તથા શ્રી દિગ્વિજયસિંહ ચુડાસમા વગેરે એ પધારી શોભામાં અભિવૃધ્ધિ  કરેલ.

આ કાર્યક્રમમાં ધોરણ ૧ થી ૧૨ ના મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લઇ એક એકથી ચડિયાતી એવી ૨૭ કૃતિઓની સુઁદર રજુઆત કરવામાં આવેલ.

શ્રી કુંવરજીભાઇ ,શ્રી હીરાભાઇ, શ્રી રાવતભાઇ અને શ્રી જી.બી. મકવાણાનું વિશેષ સન્માન કરવામાં આવેલ.

સંસ્થાના ણ્રમુખશ્રી મનસુખભાઇ ધોરિયા અને મેનેજીંગ ટ્રસ્ટી શ્રી વાલજીભાઇ રાઠોડ દ્વારા સુંદર વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ.

કાર્યક્રમનું સુઁદર સંચાલન જી.બી. મકવાણા અને શાળા સ્ટાફ દ્વારા કરવામાં આવેલ.

(11:45 am IST)