Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

સોમવારે રાહુલ ગાંધી મહુવામાં જાહેરસભા ગજવશે

અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર લોકસભા મત વિસ્તારને આવરી લેવાશેઃ પરેશ ધાનાણી

રાજકોટ તા.૯: લોકસભા ચૂંટણી આડે હવે થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે હવે ધીમે -ધીમે ચૂંટણી પ્રચાર વેગવંતો થઇ રહ્યો છે. ભાજપ તથા કોંગ્રેસના સ્ટાર પ્રચારકો સૌરાષ્ટ્રને ખુંદી વળશે. ત્યારે તા. ૧૫ને સોમવારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી મહુવામાં જાહેરસભા ગજવશે તેમ વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ ''અકિલા''ને જણાવ્યું હતું.

અમરેલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને ધારાસભ્ય પરેશભાઇ ધાનાણીએ ''અકિલા''ને વધુમાં જણાવ્યું હતું કે, અમરેલી ગીર સોમનાથ અને ભાવનગર લોકસભા મત વિસ્તારને આ જાહેરસભામાં આવરી લેવામાં આવશે.

પરેશભાઇ ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે, આ સભામાં કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો અને નગરજનો મોટી સંખ્યામાં ઉમટી પડશે.

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીનો સૌરાષ્ટ્રમાં પ્રવાસ ગોઠવાતા કોંગ્રેસમાં ઉત્સાહ છવાઇ ગયો છે.

(11:43 am IST)