Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

દામનગરમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નના પ્રણેતા પૂ. દયારામબાપુ બ્રહ્મલીન

દામનગર તા. ૯: સર્વજ્ઞાતિ સમૂહ લગ્નના પ્રણેતા પૂ. દયારામબાપુ બ્રહ્મલીન થતાં તેના મોટા સેવક વર્ગમાં શોક વ્‍યાપી ગયેલ હતો.

સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્‍સવના પ્રણેતા પૂજય દયારામબાપુ ઠોડા વાળાની નિશ્રામાં કાલે તા. ૭ ના રોજ ૧૭મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્‍સવ સંપન્‍ન થયો હતો ત્‍યાર પછી બીજા દિવસે મોટો સેવક વર્ગ ધરાવતા પૂજય દયારામબાપુ તા. ૮મીએ બપોરના ૧-રપ કલાકે ઢસા રોડ સીતારામ આશ્રમ ખાતે બ્રહ્મલિન થયા. માનવતા વાદી દ્રષ્‍ટિ દયારામ નામ જેવા જ ગુણ સંપન્‍ન દરેક જીવાત્‍મા ઉપર કરૂણા વરસાવતા દયારામબાપુ બ્રહ્મલીન થયાના સમાચારથી સમગ્ર સેવક સમુદાયમાં શોક વ્‍યાપી જવા પામેલ હતો. સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્‍સવ અને અગિયાર ઉત્‍સવ સતસંગથી પ્રચલિત ખૂબ પ્રભુ ભજનના હિમાયતી હતાં. સીતારામ આશ્રમ ઢસા રોડ દામનગર ખાતે પૂજય બાપુના નશ્‍વર દેહ અંતિમ દર્શન આજે તા. ૯ સુધી થશે તેમ સીતારામબાપુએ જણાવ્‍યું હતું.

(11:39 am IST)