Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

ઉનામાં ઓર્ગેનિક શાકભાજી અનાજના સ્ટોલ

ઉનાઃ સામાન્ય રીતે બજારોમાં વહેચાતા શાકભાજી કઠોળ વગેરે વસ્તુઓ જંતુનાશક દવાઓમાંથી પકવવામાં આવે છે તેમજ વધુ ઉત્પાદન માટે દવાઓ છાંટી ખેતી કરવામાં આવે છે ત્યારે ઉના રાવણ વાડી વિસ્તારમાં ઉના ગીરગઢડાના ખેડુતો દ્વારા ગૌ આધારિત ખેતીકરી પકવવામાં  આવેલ શાકભાજી અનાજ કઠોળ જેવી વસ્તુઓના વિવિધ સ્ટોલોમાં વેચાણ કરવામાં આવ્યું હતું. આવનારા દિવસોમાં લોકો કુદરતી રીતે ગૌ આધારીત ખેતીમાંથી પકવવામાં આવેલ વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખો જેથી કરીને લોકોના સ્વાસ્થ્ય સારા રહે અને બીમારીઓનો ભોગ ન બને તેવો સંદેશો આપવામાં આવ્યો હતો. ઓર્ગેનિક સ્ટોલની તસ્વીર (તસ્વીરઃ નિરવ ગઢીયા-ઉના)

(11:27 am IST)