Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

ખોરાણા અને બિલેશ્વર વચ્ચે ટ્રેન હેઠળ કપાઇ જતાં યુવાનના ધડ-માથું નોખા

આશરે ૨૨ થી ૨૫ વર્ષના યુવાનના વાલીવારસને શોધતી કુવાડવા પોલીસ

રાજકોટ તા. ૯: કુવાડવાના ખોરાણા અને બિલેશ્વર વચ્ચે સાંજે ટ્રેનની ઠોકરે ચડી જતાં આશરે ૨૨ થી ૨૫ વર્ષના યુવાનના ધડ-માથું નોખા થઇ જતાં કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં કુવાડવા રોડ પોલીસ મથકના પી.એસ.આઇ. આર. કે. રાઠોડ અને કે. સી. સોઢાએ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.મૃતક યુવાને બ્લુ રંગનું ટી-શર્ટ પહેયું છે. જેમાં હર હર મહાદેવ લખેલુ છે. તેની ઓળખ થાય તેવી કોઇ ચીજવસ્તુ મળી નથી. તસ્વીરમાં દેખાતાં મૃતક યુવાનના કોઇ વાલીવારસ હોય તો કુવાડવા રોડ પોલીસ મથકનો ફોન ૦૨૮૧ ૨૭૦૪૦૫૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(12:16 pm IST)