Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

હળવદ બાયપાસ પાસે અકસ્માતમાં લૌકીક ક્રિયામાં જઇ રહેલા ભરવાડ પરિવારના ૧૩ વ્યકિતઓને ઇજા

હળવદ તા. ૯: વિચીત્ર અકસ્માતમાં લૌકીક વહેવારમાં જઇ રહેલા ૧૩ વ્યકિતઓને નાની-મોટી ઇજાઓ થતા હળવદ સારવાર આપી વધુ સારવાર માટે મોરબી ખસેડેલ છે.

માળીયા તાલુકાના ખાખરેચી ગામના ભરવાડ સમાજના લોકો લૌકીક વ્યવહાર અર્થે ધ્રાંગધ્રા જઇ રહ્યા હતા ત્યારે હળવદ બાયપાસ ઉપર હોટલ હરીદર્શન સામે સ્પીડ બ્રેકર આવતા બોલેરો પીકઅપ નંબર જીજે-૩-એવી-૮પ૭૦ એ બ્રેક મારી હતી ત્યારે પાછળથી આવતા ટ્રકે ટકકર મારતા બોલેરો પીકઅપ સાઇડમાં પાઇપ ભરેલા કન્ટેનર સાથે અથડાઇ હતી. આથી બોલેરો પીક અપમાં બેઠેલા (૧) જીતુબેન મનુભાઇ ભરવાડ -ઉ.વ. ૪૦ (ર) વેજીબેન જોધાભાઇ ભરવાડ ઉ.વ.-૬૦ (૩) રતનબેન દેવાભાઇ ભરવાડ-ઉ.પ૦ (૪) ભૂરાભાઇ નાથાભાઇ-ઉ. પપ (પ) લક્ષ્મીબેન નાનજીભાઇ ભરવાડ ઉ.વ.૬૦ (૬) જશુબેન ભગવાનભાઇ ભરવાડ ઉ.વ.રપ (૭) સોનલબેન ભાલુભાઇ ભરવાડ ઉ.વ. ૯ (૮) જડીબેન મફાભાઇ ભરવાડ ઉ.વ. ૬૦ (૯) લક્ષ્મણભાઇ જેઠાભાઇ ભરવાડ-ઉ.વ.૬૦ (૧૦) નોંધાભાઇ લાખાભાઇ ભરવાડ-ઉ.વ.૬૦, (૧૧) બાબુભાઇ મેરાભાઇ ભરવાડ-ઉ.વ.પપ (૧ર) ગૌરીબેન ઘેલાભાઇ ભરવાડ-ઉ.વ. ૪પ તેમજ (૧૩) જશુબેન ભાયાભાઇ ભરવાડ ઉ.વ. ૪પ-બધા રહે. ખાખરેચી વાળા ને નાની-મોટી ઇજાઓ થતા સારવાર અર્થે હળવદ સરકારી દવાખાને ખસેડેલ હતા. જયાંથી તેઓને મોરબી રીફર કરવામાં આવ્યા હતા. ડો. અશ્વિનભાઇ આદ્રોજા, ડો. કૌશલભાઇ પટેલ તેમજ સ્ટાફે સારવાર આપી હતી. ઘટનાની જાણ થતા પોલીસ સ્ટાફે સ્થળ પર જઇને ટ્રાફીક કલીયર કરાવ્યો હતો. (૭.ર૭)

 

(4:26 pm IST)