Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

સભ્યોએ હપ્તા ન ભરતા ભુજના બ્રાહ્મણ પ્રૌઢે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા

ભુજ તા. ૯ :.. ભુજ  છેલ્લા ત્રણ દિવસથી લાપતા બનેલા ભુજનાં બ્રાહ્મણ વ્યાપારી પ્રૌઢે કરેલી આત્મહત્યા એ ભુજમાં ચકચાર સર્જી છે. પપ વર્ષી મોહનલાલ દયારામ મોતા નામનાં આ વ્યપારી ભુજની આરટીઓ રીલોકેશન સાઇટ પાસે આવેલા બસ સ્ટેશનમાંથી બેભાન હાલતમાં મળ્યાં હતાં.

તેમની બાજૂમાં ઝેરી દવાની શશી મળી હતી. લોકોએ તેમને ભુજની જી.કે. જનરલ હોસ્પીટલમાં ખસેડતાં તબીબોએ મૃત જાહેર કર્યા હતાં. દરમ્યાન તેમની પાસેથી મળેલી ત્રણ પાનાની સ્યુસાઇડ નોંધમાં વીશી ચલાવનારા આ મૃતક પાસેથી વીશી ઉપાડનારાઓએ હપ્તા ન ભરતાં તેમને ઉંચા વ્યાજે રૂપિયા લેવાની ફરજ પડી હોવાનું જણાવીને વ્યાજે આપનારાઓએ રૂપિયાની બદલે તેમની જમીન લખાવી લીધી હોવાનું લખ્યું છે.

આત્મહત્યા કરનારા પપ વર્ષીય મોહનલાલ મોતા (રાજગોર) ભુજની જૂની શાક મારકેટ પાસે કટલેરીનો વ્યાપાર કરતા હતાં. ત્રણ પાનાની સ્યુસાઇડ નોંધમાં વીશીનાં રૂપિયા નહીં આપનારાઓના નામ તથા જેમને રૂપિયા ચુકવવાના છે એમનાં નામ લખેલા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(2:29 pm IST)