Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

જુનાગઢના માલણકાના સરકારી દવાખાનામાં આરોગ્ય કર્મી વિભાબેન રામકબીરનો રાત્રે આપઘાત

તપાસણી રૂમમાં મોતને મીઠુ કર્યું :કારણ અકળ

જુનાગઢ તા. ૯ : મેંદરડાના માલણકાના સરકારી દવાખાનામાં રાત્રે આરોગ્ય કર્મી વિભાબેન રામકબીરે આપઘાત કરી લેતા અરેરાટી સાથે સનસની ફેલાઇ ગઇ હતી.

આ અંગેની વિગતો એવી ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના લુંભા ગામના વિભાબેન દિપકભાઇ રામકબીર (ઉ.ર૧) જુનાગઢ જીલ્લાના મેંદરડા તાલુકાના માલણકા ગામના પેટા આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા આઠ માસથી ફિમેલ હેલ્થ વર્કરની ફરજ બજાવતા હતા.

દરમ્યાનમાં ગઇકાલે મહિલા દિવસની રાત્રીના ૭-પપ ની આસપાસ પેટા પ્રાથમીક આરોગ્ય કેન્દ્રના તપાસણી રૂમમાં વિભાબેન લટકતા મળી આવ્યા હતા.

આ અંગેની જાણ થતા મેંદરડા પોલીસે દોડી જઇ રામાનંદી સાધુ આરોગ્ય કર્મચારીની લાશ પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી.

વિભાબેનના આપઘાત પાછળનું કારણ બહાર આવેલ નથી વિશેષ તપાસ પોલીસ જમાદાર કે.બી. ચુડાસમા ચલાવી રહ્યા છે.

(1:01 pm IST)