Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને રજૂઆત

 વઢવાણ :  સુરેન્દ્રનગરના લખતર તાલુકાના બાબાજીપુરા ગામે બાબાભાઇ શિવાભાઇ રાવતને તેમની ખેતીની જમીનનો કબ્જો મળેલ ન હોય તેમને તેમની ખેતીની જમીનનો કબજો આપવામાં આવે તેવી માંગણી સાથે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને રાવત સેના દ્વારા એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જમીનનો કબજો ૧પ દિવસમાં સોંપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સુરેન્દ્રનગર કલેકટર કચેરી સામે ધરણા કરવાની ચીમકી રાવતસેના દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. આવેદનપત્ર આપવા માટે રાવતસેનાના પ્રભુભાઇ રાવત, પ્રહલાદભાઇ રાવત, રતીલાલભાઇ રાવત, અજીત રાવત, શિવમ રાવત, રણજીત રાવત તથા અરજદાર બાબાભાઇ શીવાભાઇ બાબાજીપુરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આવેદન પત્ર આવ્યું તે તસ્વીર.

(12:59 pm IST)