Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

જુનાગઢ કોળી સમાજના આગેવાનો દ્વારા રંધોળા અકસ્માત મૃતકોને શ્રધ્ધાંજલી

જુનાગઢ તા.૯: તા.૬ માર્ચના રોજ રાજકોટ ભાવનગર હાઇવે ઉપર જાનૈયા ભરેલ ટ્રક પુલ ઉપરથી નીચે ખાબકતા કોળી પરિવારના ૩૧ લોકોના મૃત્યુ થયેલ.

આ મૃતકોને શ્રધ્ધાંજલી આપવા જુનાગઢ ન્યુ બેસ્ટ ઇંગ્લીશ સ્કુલ ખાતે એક શોકસભા યોજાઇ હતી જેમાં સમસ્ત કોળી સમાજના આગેવાનો બટુકભાઇ મકવાણા મોહનભાઇ માંડવીયા કાળુભાઇ કડીવાર જેઠાભાઇ જોરા કેળવણીકાર જી પી કાઠી સહિતનાએ મૃતકોને શ્રધ્ધાંજલી આપી તેમના આત્માની શાંતિ અર્થે મૌન પાળી શ્રધ્ધાંજલી આપી હતી.

(11:43 am IST)