Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

રંઘોળા અકસ્માતમાં મૃત્યુઆંક ૩પ

ઇજાગ્રસ્ત વધુ એક યુવતિના મોતથી અરેરાટી

 ભાવનગર તા. ૯ :.. ભાવનગર નજીક રંઘોળા પાસે સર્જાયલા ગમ્ખ્વાર અકસ્માતનો મૃત્યુઆંક વધી રહ્યો છે. આજે સવારે વધુ એક ઇજાગ્રસ્ત યુવતીનું મોત નિપજતાં આ દુર્ઘટનાનો મૃત્યુઆંક વધી ૩પ સુધી પહોંચી ગયો છે.ભાવનગર-રાજકોટ હાઇવે ઉપર રંઘોળા નજીક અનીડા ગામની જાનને નડેલા અકસ્માતમાં ૩૧ નાં મોત અને ૩૦ જેટલા ગંભીર રીતે ઘવાયેલા આ બનાવ બાદ રોજ રોજ ઇજાગ્રસ્તો પૈકી એકનું મોત નિપજી રહ્યું છે. આજે શુક્રવારે વધુ એક ઇજાગ્રસ્તનું મોત નિપજતાં બનાવનો મૃત્યુ આંક વધી ૩પ ને આંબી ગયો છે. હજુ ૭ ગંભીર રીતે ઘવાયેલા છે.મળતી વિગતો મુજબ શહેરની સર ટી. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા આ દુર્ઘટનાનાં ઇજાગ્રસ્ત સોનલબેન જગદીશભાઇ પરમાર ઉ.૧૭ નું આજે સવારે સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું.

(11:27 am IST)