Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

પ્રેમ આંધળો કે પ્રેમીઓ?... બે સંતાનની માતા એવી કાકીને થયો કુંવારા ભત્રીજા સાથે પ્રેમઃ બંનેએ ભાગીને જીવ દીધો

જામકંડોરણાના અડવાળના ગામના અનિલ મકવાણા (ઉ.૨૩) અને કાજલ મકવાણા (ઉ.૩૦)ની કોહવાયેલી લાશ ગામના જ એક ખેતરમાંથી મળીઃ મૃતદેહોનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટ મોર્ટમઃ ૧૫ દિવસ પહેલાં બંને ઘરેથી ભાગી ગયા'તાઃ ખાંટ પરિવારનો માળો વીંખાયો

ધોરાજીઃ જામકંડોરણાઃ તસ્વીરમાં બંન્નેના મૃતદેહ અને પોલીસ તપાસ થતી નજરે પડે છે (તસ્વીરઃ અહેવાલઃ મનસુખ બાલઘા (જામકંડોરણા),કિશોર રાઠોડ (ધોરાજી)

 

જામકંડોરણા-ધોરાજી તા.૯: જામકંડોરણા તાલુકાના અડવાળ ગામમાં કાકી ભત્રીજાની કોહવાયેલી હાલતમાં ગામની જ વાડીમાંથી મૃતદેહ મળતા અરેરાટી વ્યાપી ગઇ છે.

 

બંન્નેના મૃતદેહોનુ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. જામકંડોરણા પોલીસે આ બનાવ અંગે તપાસ હાથ ધરી છે આ ઘટનાથી ખાંટ પરિવારના ૨ માળા વીંખાઇ ગયા છે અને બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે.

જામકંડોરણા તાલુકાના અડવાળ ગામની સીમમાં આવેલી વાડીમાં હારવેસ્ટર મારફત ઘઉં કાઢવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક સ્ત્રી પુરૃષની કોહવાયેલી અને જાનવરોએ ફાડી ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી જેની જાણ જામકંડોરણા પોલીસને કરાતા પોલીસ કાફલો તાબડતોબ ઘટના સ્થળે દોડી ગયો હતો.

પોલીસ સુત્રોમાંથી મળતી માહીતી મુજબ જામકંડોરણા તાલુકાના અડવાળ ગામની સીમમાં આવેલી દેવેન્દ્રસિંહ ગુમાનસિંહની વાડીમાં ઘઉંનો પાક તૈયાર થઇ જતાં તેને હારવેસ્ટરમાં કાઢવાની કામગીરી ચાલી રહી હતી અડધું ખેતર પુર્ણ થયા બાદ ઘઉંના ઉભા પાકની વચ્ચેથી અતિ કાહવાયેલી અને જાનવરોએ ફાડી ખાધેલી હાલતમાં લાશ મળી આવતા સૌ કોઇ ચોકી ઉઠયા હતા તુરતજ જામકંડોરણા પોલીસને જાણ કરાતા પી.એસ.આઇ. ગોજીયા સહિતનો કાફલો અડવાળ ગામે દાડી ગયો હતો.

ત્યાં જઇ તપાસ કરતા બંને લાશો અતિ કોહવાયેલી અને ઓળખાય નહી તેવી હાલતમાં જોવા મળી હતી આજુબાજુમાં તપાસ કરતા ઝેરી દવાની બોટલ પણ મળી આવી હતી જેના અધારે બંનેએ ઝેરી દવા પી સજોડે આપઘાત કરેલ હોવાનું પ્રાથમિક દષ્ટિએ જાણવા મળ્યું હતું બાદમાં લાશ નજીકથી જેન્ટસ પર્સ મળ્યું હતું તેમા આભાશ કાર્ડ સહિતના દસ્તાવેજો મળી આવતા મૃતક યુવક અડવાળ ગામનો અનિલ છગનભાઇ મકવાણા ખાંટ (ઉ.વ.૨૩) હોવાનું બહાર આવ્યું હતું જયારે બીજી લાશ પર મંગળસુત્ર જોવ મળતા તે લાશ કાજલબેન અશોકભાઇ મકવાણા ખાંટ (ઉ.વ.૩૦)ની હોવાનું બહાર આવ્યું હતું આમ બંનેની ઓળખ મળી જતા લાશને પી.એમ.અર્થે જામકંડોરણા સરકારી હોસ્પિટલે ખસેડી હતી બાદમાં તપાસનો દોર શરૃ કરવામાં આવતા જાણવા મળ્યા મુજબ મૃતક અનીલ અપરણિત છે જયારે કાજલબેન પરણીત બે સંતાનોની માતા હોવાનું બહાર આવ્યું હતું બંને આડોશ પાડોશમાંજ રહેતા હોઇ અને કૌટુંબિક કાકી ભત્રીજો થતો હોવાનું પણ બહાર આવ્યું હતું પોલીસે બંનેના કુટુંબીજનોની પુરછપરછ કરતા ૧૫ દિવસ પૂર્વે બંને નાસી ગયાનું જાણવા મળ્યુ હતું આ બંને મૃતદેહોને ફોરેન્સીક તપાસ અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે જેની તપાસ જામકંડોરણા પી.એસ.આઇ. ગોજીયા ચલાવી રહ્યા છે.(૧.૧)

(12:28 pm IST)